Advertisement
Author: નોબત સમાચાર

સમાધાન માટે ઘરે બોલાવી યુવાનને ત્રણ શખ્સે ધોકાવી ફ્રેક્ચર કરી નાખ્યું

ખુલ્લામાં સ્નાન કરવાના મુદ્દે પ્રૌઢ પર હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના ધુંવાવમાં રહેતા એક યુવાનને સમાધાન માટે ઘરે બોલાવી ત્રણ શખ્સે ધોકાથી માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે ખુલ્લામાં સ્નાન કરવાના મુદ્દે લાલપુરના મુળીલામાં એક પ્રૌઢને એક મહિલા સહિત ત્રણે માર મારી દાંતરડુ ઝીંકયું હતું.

લાલપુર તાલુકાના મુળીલા ગામના વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ પુંજાભાઈ વસરા નામના પ્રૌઢ પર બે સપ્તાહ પૂર્વે ખુલ્લામાં કેમ સ્નાન કરે છે તેમ કહી જાહીબેન દેવરખીભાઈ વસરા, દેવરખી મેરામણભાઈ, ખીમાભાઈ મેરામણભાઈ વસરા નામના ત્રણ વ્યક્તિએ ધોકા તથા ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત દાંતરડુ ઝીંક્યું હતું. ઈજા પામેલા નારણભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના ધુંવાવમાં હાઉસીંગ બોર્ડ પાસે રહેતા દિનેશભાઈ મનસુખભાઈ સવાસરીયા તથા યુવરાજ ઉર્ફે ઈવલા માણેક વચ્ચે થોડા દિવસ પહેલાં ઝઘડો થયો હતો તેનું સમાધાન કરવા માટે ગયા ગુરૂવારે બોલાવી યુવરાજ તથા અલ્તાફ રઝાક સુમરા અને એક અજાણ્યા શખ્સે ધોકાથી હુમલો કરી દિનેશભાઈને માર માર્યાે હતો. જેમાં હાથ ભાંગી જતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh