Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં નોંધાયો પ્રથમ ગુન્હોઃ
જામનગર તા. ૩૦: કાલાવડના કોઠા ભાડુકીયા ગામના જર્જરીત બની ગયેલા ઉંડ-૩ સિંચાઈના પુલ પરથી ટુ વ્હીલર કે રાહદારી સિવાય વાહન પસાર કરવાની મનાઈ હોવા છતાં ગઈકાલે એક ઈકો ત્યાંથી પસાર થતાં તેના ચાલક સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો છે. જે સમગ્ર જામનગર જિલ્લામાં પ્રથમ છે.
કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામમાં ઉંડ-૩ સિંચાઈ વિભાગ હસ્તકના પુલ પરથી હાલમાં પગે ચાલીને જતા રાહદારી અને ટુ વ્હીલર સિવાય અન્ય વાહનોને નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.
જર્જરીત હાલતમાં રહેલા તે પુલ પરથી મોટા વાહન નીકળવાની મનાઈ હોવા છતાં ગઈકાલે સાંજે કાલાવડ તાલુકાના બાલંભડી ગામનો જયદેવ ખોડાભાઈ ગોલતર નામનો શખ્સ પોતાની જીજે-૧૦-ડીઆર ૩૮૪૦ નંબરની ઈકો મોટર લઈને પસાર થયો હતો. આ શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના જમાદાર વી.જે. જાદવે ખુદ ફરિયાદી બની જાહેરનામા ભંગ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા નજીકના ગંભીરા બ્રિજના તૂટી પડવાના બનેલા બનાવ પછી રાજ્યના તમામ જિલ્લાઓમાં જે પુલ જર્જરીત છે તેના માટે તંત્ર દ્વારા સાવચેતી દાખવવામાં આવી રહી છે. તે અંતર્ગત કોઠા ભાડુકીયાના ઉપરોક્ત પુલ પરથી ભારે વાહન પસાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં ગઈકાલે ત્યાંથી ઈકો પસાર થતાં ગુન્હો નોંધાયો છે. જે જામનગર જિલ્લામાં સૌપ્રથમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial