Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતરિયાળ ગામમાંથી મળી આવેલા
જામનગર તા. ૨૭: પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું ૧૮૧ અભયમ્ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી જણાવેલ કે, જામનગર જિલ્લાના એક અંતરિયાળ ગામમાં રાત્રિના સમયે કોઈ મહિલા રસ્તા પર એકલા બેઠા છે અને તેઓને મદદની જરૂર છે. આ કોલ આવતાની સાથે જ ૧૮૧ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી.
તે પછી મહિલાને સાંત્વના પાઠવી સતત ત્રણ કલાક કાઉન્સેલિંગ કર્યું હતું. આ મહિલાએ અલગ અલગ ત્રણ ગામના નામ આપ્યા હતાં. બાદમાં ખંભાળિયા તાલુકાના ગામ હોવાથી કંટ્રોલ રૂમમાં આ ગામડાની ખરાઈમાં જાણવા મળ્યું હતું કે, મહિલા દેવભૂમિ દ્વારકાના એક અંતરિયાળ ગામના વતની છે.
તે પછી અભયમ્ની ટીમ દ્વારા તે ગામના સરપંચનો સંપર્ક કરી મહિલાનો ફોટો મોકલ્યો હતો અને જાણવા મળ્યું હતું કે, તેણીના પતિનું બે મહિના પહેલા અવસાન થયું હોવાથી તેમના આઘાતમાં મહિલા ઘર છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ રાત્રિનો સમય હોવાથી અભયમ્ની ટીમે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી હતી.
તે પછી તેણીના જેઠ અને દિયર ત્યાં આવેલ અને જણાવ્યું હતું કે, મહિલાના પતિના અવસાન પછી તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ રહેતા તેઓ બે મહિનાથી ઘર છોડીને ચાલ્યા ગયા હોય, ઘણી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ૧૮૧ અભયમ્ની ટીમે મહિલાને શોધી પરિવારને સોંપતા તેના પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial