Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.આઈ.આર. હેઠળ ડોર-ટુ-ડોર ફોર્મ વિતરણ થશે
જામનગર તા. ૮: જામનગરમાં એસ.આઈ.આર. અન્વયે મતદાર યાદી ગણતરી ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે, જેમાં બીએલઓ બેદરકારી દાખવતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. બીએલઓ ફોર્મ આપીને ચાલ્યા જાય છે. કોઈ સમજણ આપતા નથી.
ચૂંટણી પંચે સ્પષ્ટ આદેશ કર્યો છે કે, બીએલઓ ઘરેઘરે જઈને ફોર્મ ભરશે, પરંતુ જામનગરમાં બીએલઓ ફોર્મ ભરતા નથી, પરંતુ ફોર્મ આપીને ચાલ્યા જાય છે. શિક્ષિત લોકો માટે પણ ફોર્મ ભરવું અઘરૂ છે.
ગરીબ, સ્લમ વિસ્તારમાં લોકો પૂરા ફોર્મ ભરશે કે કેમ તે પણ શંકા છે. તેવી સ્થિતિમાં તેમના નામો મતદાર યાદીમાંથી ડીલીટ થવાની દહેશત છે. આથી તાકીદે બીએલઓને વ્યવસ્થિત કામગીરી કરવાની સુચના આપવામાં આવે. આ આવેદનપત્ર પાઠવતા સમયે કોર્પોરેટર અલ્તાફ ખફી, નુરમામદ પલેજા, ઉપરાંત કોંગ્રેસના આનંદ ગોહિલ, ભરત વાળા, સાજીદ બ્લોચ, જયેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial