Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ૧.૮ ની તીવ્રતાનો ભૂકં૫ અનુભવાયોઃ લોકો ભયભીત

બારી-બારણાં ખખડ્યાઃ દોઢ કલાકમાં બે આંચકા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગઈકાલે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતાં.

સૌરાષ્ટ્રમાં ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોય, તેમ જોવા મળી રહ્યું છે.

થોડા દિવસ પહેલા ભાણવડ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

ગઈકાલે પોરબંદર અને લાલપુર પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં. લોકો ભયભીત બન્યા હતાં. લાલપુર પંથકમાં દોઢ કલાકના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેની તીવ્રતા ૧.૮ ની નોંધાઈ છે, અને કેન્દ્રબિંદુ ૩૪ થી ૩પ કિ.મી.નું નોંધાયું છે.

આ ભૂકંપના આંચકાની ઘટનાથી બારી-બારણાં ખખડી ઉઠ્યા હતાં અને લોકોમંં ભય ફેલાયો હતો. જો કે, આ આંચકાથી કોઈ નુકસાની થવા પામી ન હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh