Advertisement
Author: નોબત સમાચાર

દાતાઓના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા

જૈન બાલમંદિર-કન્યા વિદ્યાલય દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૪: હાલાર કેસરી પ્રાચીન સાહિત્યોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યવેદ શ્રીમદ્ વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી ના આશીર્વાદ અને પ્રેરણાથી નિર્માણ પામેલા શ્રી જૈન બાલમંદિર અને કન્યા વિદ્યાલય, જામનગરમાં વસતા જ્ઞાતિજનો તથા નજીકના વિસ્તારમાં રહી શ્રી જૈન કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળાઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટેનું અનુદાન પડાણાના માતુશ્રી મુરીબેન કચરા વૃજપાલ શાહ, માતુશ્રી વેલુબેન પ્રેમચંદ વૃજપાલ શાહ, માતુશ્રી અમૃતબેન જુઠાલાલ વૃજપાલ શાહ તથા માતુશ્રી મોંઘીબેન સામત તેજસી (રાસંગપર) દ્વારા મળેલ તેમના વતી તેમના સ્નેહીજન જયશ્રીબેન સુધીરભાઈ હીરજી શાહ તથા હિનાબેન શાહ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્લે હાઉસ, બાલમંદિર વિભાગ, ધોરણ ૧ થી ૧૨માં પ્રથમ દ્વિતીય નંબરે આવેલ દરેક વિદ્યાર્થિનીને ૧૦૦૦/- અને ૧૧૦૦/- ની રોકડ રકમથી પ્રોત્સાહન રૂપે પુરસ્કૃત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં દાતા પરિવાર તથા શાળાના ટ્રસ્ટી હિંમતભાઈ શાહ તથા કમિટી મેમ્બર્સ કલાબેન શાહ, સૂર્યાબેન શાહ, શાળા પરિવાર હાજર રહ્યા હતા. ઈ આચાર્યા હિનાબેન હરિયા તથા કમિટી મેમ્બર્સ દ્વારા બાળાઓને ઉત્તરોતર પ્રગતિ માટે અથાગ મહેનત કરવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતુ. આ સમગ્ર પારિ તોષિક સન્માન સમારોહનું સંચાલન કલાબેન આર.શાહે કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh