Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ
જામનગર તા. ૯: બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના તેજસ્વી તારલાઓને સ્કોલરશીપ આપવામાં આવશે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી ધો. ૧૦, ૧૧ તથા ગ્રેજ્યુએશન (ટી.વાય.) તથા માસ્ટર ડિગ્રીની વાર્ષિક પરીક્ષામાં ૭૦% અથવા તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જેમાં ૭૦% મેળવનારને રૂ. ૧૦૦૦, ૮૦% મેળવનારને રૂ. ૧૫૦૦, ૯૦% મેળવનારને રૂ. ૨૦૦૦ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને તેનો ફોટો લગાડીને સાદા કાગળમાં ટ્રસ્ટના નામે અરજી કરવી, વાર્ષિક પરીક્ષાની માર્કશીટ અને તેની નકલ, પાસબુક અને ચેક ની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે) તા. ૨૦-૭-૨૫ના સાંજે ૪ થી ૬ નારણજી હીરજી ભોગાયતા, ઠે. હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલકેશ્વરીનગરી, જામનગર (મો.૯૯૦૯૧૩૩૩૬૯) માં પહોંચાડવા ટ્રસ્ટી દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial