Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર ફરી છલકાયોઃ રંગમતિ અને ઉમિયાસાગર ભરપૂરઃ જળાશયોમાં નવા નીર

જિલ્લા-શહેરમાં વ્યાપક વરસાદ થકી

                                                                                                                                                                                                      

જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક સ્વરૂપે વરસાદ વરસતા તંત્ર અને લોકોના હૈયે હરખની હેલી જોવા મળી છે. સારા વરસાદના કારણે જિલ્લાના અનેક ડેમ, નદી-નાળા, તળાવમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે. આથી પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે.

શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા રણજીતસાગર ડેમ ફરી એક વખત છલકાયો છે, તો શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થવા પામી છે.

રંગમતિ ડેમમાં ભરપૂર પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે, તો જામજોધપુરના ઉમિયા સાગર ડેમ છલકાયો છે અને તેના પણ છ દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી છે.

જ્યારે સિંચાઈનો સસોઈ ડેમમાં પણ અઢી ફૂટ નવા પાણીનો વધારો થતા ડેમની સપાટી ૧૭ ફૂટે પહોંચી છે. હાલારના અનેક જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. એકંદરે જિલ્લામાં સારા વરસાદથી પાણીની સમસ્યામાં રાહત થઈ છે, તો ખેડૂતો માટે પણ વરસાદ સુકનવંતો બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh