Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' જામનગરમાં દરેક ધાર્મિક તહેવારને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ધર્મનગરીમાં આજથી જયા પાર્વતી વ્રતનો શુભારંભ થયો છે. અષાઢ મહિનામાં જયા પાર્વતીનું વ્રત ઉજવવાની પરંપરા છે. અષાઢ મહિનાની સુદ તેરસ થી વદ ત્રીજ સુધી આ વ્રત ઉજવવામાં આવે છે. કુંવારી કન્યાઓ દ્વારા સારા પતિની કામના માટે પાંચ દિવસનું આ વ્રત રાખવામાં આવે છે અને અંતમાં જાગરણ કરવામાં આવે છે. પરિણીતાઓ પણ પતિનાં દિર્ધાયુષ્ય તથા સુખી દામ્પત્ય જીવન માટે આ વ્રત કરે છે. આજથી આરંભ થયેલ આ વ્રતને કારણે નગરનાં મંદિરોમાં કન્યાઓની વિશેષ ભીડ જોવા મળી હતી. શ્રી કાશી વિશ્વનાથ મંદિર, શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર, શ્રી જાગનાથ મહાદેવ મંદિર સહિતનાં શિવાલયોમાં વ્રત પૂજન માટે વ્રતધારી કન્યાઓ-મહિલાઓ ઉમટી હતી. પાંચ દિવસ મોળા ઉપવાસ સહિતની પરંપરા પણ આ વ્રત સાથે જોડાયેલી છે. ઉપવાસ-પૂજન અર્ચન વગેરે દ્વારા કન્યાઓ દૈવી કૃપાથી ઈચ્છિત વરની પ્રાપ્તિનું સ્વપ્ન સેવે છે. ઓનલાઇન ડેટીંગ અને મેચ મેકીંગના આધુનિક કાળમાં પણ મનગમતા પતિની પ્રાપ્તિ માટે ઇશ્વરકૃપા મેળવવાના પ્રયાસરૂપ આ વ્રત સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિની સનાતનતાને દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial