Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી રહેલી દુકાનોની ટૂંક સમયમાં થશે હરાજી
જામનગર તા.૫ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી કરાઈ છે. કુલ ૧૦૭ માંથી ૪૪ દુકાનનું વેચાણ થયું છે, જેથી જામ્યુકોને રૂ. ૬.૨૮ કરોડની આવક થનાર છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ગઈકાલ ૪/૭/૨૦/૨૫ ના ટાઉન હોલમાં કુલ ૧૦૭ દુકાનોનો હરાજી કરવામાં આવી હતી. જેમાં કુલ ૪૪ દુકાનોનું વેચાણ થયું હતું. મહાનગર પાલિકાની રૂ.૬ કરોડ ૨૮ લાખની આવક થવા પામશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ ચાર આવાસ માં બનાવાયેલ ૧૦૭ દુકાનોના વેચાણ માટે ગઈકાલે સવારે ટાઉનહોલમાં જાહેર હરાજી રાખવામાં આવી હતી. આ કામગીરી સવારે નવ વાગ્યા થી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલુ રહેવા પામી હતી.
દુકાનોની જાહેર હરાજી જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદીના આદેશ અનુસાર સ્લમ શાખા દ્વારા કરવામા આવી જેમાં ૭૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અને બેડી આવાસમાં-૩, એમ.પી.શાહ ઉધોગનગર આવાસમાં-૧ અને ગોલ્ડન સીટી પાસેના ૫૪૪ આવાસમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ૨૩ અને પ્રથમ માળે ૧૭ મળી કુલ ૪૪ દુકાનોની જાહેર હરરાજીથી વેચાણ થયેલ છે. જેથી જામનગર મહાનગરપાલિકાને રૂ.૬ કરોડ ૨૫ લાખ ૨૮ હજારની આવક બે માસમાં થશે.
આ જાહેર હરાજીમાં નાયબ કમિશનર ડી. એ. ઝાલા, આસી. કમિશનર બી.એન. જાની, કા.ઈ. હિતેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જાહેર હરાજીનું આયોજન અને સંચાલન સ્લમ શાખાના નાયબ ઈજનેર અશોક જોશી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જાહેર હરાજી દરમિયાન સ્લમ અપગ્રેડેશન સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા અને ટેન્ડર સમિતિ વતી મ્યુનિ.સભ્ય કિશનભાઈ માડમે પણ મુલાકાત લઈને સ્લમ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. હવે બાકી રહેલ દુકાનોની જાહેર હરાજી પણ ટુંક સમયમાં કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial