Advertisement
Author: નોબત સમાચાર

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ૬ મહિનાના જામીન

જોધપુર કોર્ટના નિર્ણયને બહાલ રખાયોઃ

                                                                                                                                                                                                      

સુરત તા. ૬: સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ૬ મહિનાના જામીન મળ્યા છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, જોધપુર કોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ અલગ સ્ટેન્ડ ન લઈ શકે.

સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આસારામને ૬ મહિનાના જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે ૮૬ વર્ષના આસારામને ૬ મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક્ક છે. જો ૬ મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે.

કોર્ટે કહ્યું, આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે.

સરકાર પક્ષે રજૂઆત કરી કે જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. જ્યારે પીડિતાના વકીલે કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઈન્દોર વિગેરે જગ્યાએ ફર્યો. કોઈ હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી નથી. સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્ય મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે. હંગામી જામીન આપવાની જરૂર નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh