Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહને પોલીસે પી.એમ. માટે ખસેડ્યોઃ
જામનગર તા. ૪: જામનગરના ભીમવાસ નજીક પુલ નીચે ફૂટપાથ પરથી ગઈકાલે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગરના નવાગામ ઘેડ નજીકના ભીમવાસના ઢાળીયા પાસે પુલ નીચે ફૂટપાથ પરથી શુક્રવારે સવારે સાંઈઠેક વર્ષની વયના લાગતા અજાણ્યા વૃદ્ધ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે.
તેની કોઈએ પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસ ટૂકડીએ મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. મૃતક પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ અને પાતળો બાંધો ધરાવતા હતા. તેમના શરીર પર ભૂખરા રંગનું પેન્ટ અને ક્રીમ રંગનો લાંબી બાયનો શર્ટ ધારણ કરેલો હતો. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝનના પીએસઆઈ કે.એન. જાડેજા-૯૮૭૯૫ ૮૧૬૬૭નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial