Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાન અઢી ડીગ્રી વધ્યુંઃ ભેજનું પ્રમાણ ૮૪ ટકાઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪ ટકા વધીને ૮૪ ટકાએ પહોંચતા નગરમાં ઝાકળવર્ષા થઈ હતી. ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર આજે સવારે ધૂમ્મસનું પ્રમાણ વધારે રહ્યું હતું.
જામનગરમાં તાપમાનના પારામાં સતત ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં નોંધાતા કાટિલ ઠંડીથી પ્રજાજનો ધ્રુજી ઊઠ્યા હતાં. નગરમાં શનિવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧ર ડીગ્રી અને એક ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને આજે સવારે ઓછી ઠંડી અનુભવાઈ હતી.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪ ટકા વધીને ૮૪ ટકા રહ્યું હતું, જેના પગલે આજે સવારે ઝાકળવર્ષા થઈ હતી. વાહનો તથા વૃક્ષો પર ઝાકળ બિંદુ બાજી ગયા હતાં. ગ્રામ્ય વિસ્તારો અને ધોરીમાર્ગો પર વહેલી સવારે ધૂમ્મસનું પ્રમાણ જોવા મળ્યું હતું. સૂર્યનારાયણ ઉદીત થયા પછી ધીમે-ધીમે ધૂમ્મસનું જોર ઘટી જવા પામ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial