Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે
જામનગર તા. ૮: જામનગરના ગાંધીનગર સ્થિત શીરડી સાઈબાબા મંદિરે તા. ૧૦ ના રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫:૩૦ વાગ્યે અભિષેક, ૬ વાગ્યે પ્રાતઃ આરતી, ૭:૩૦ થી ૧૦ સર્વે ભક્તો માટે ગુરૂપૂજન, તથા અભિષેક, ગુરૂપૂજનની સામગ્રી ભક્તોએ સાથે લાવવાની રહેશે. (ગુરૂપૂજનમાં જોડાનાર ભક્તોને નિજમંદિરમાં બાબાશ્રીને અભિષેકનો લાભ ૧૧:૪૫ સુધી મળશે.) સવારે ૧૧ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ થી ૧૨:૩૦ સુધી અન્નકોટ દર્શન, ૧૨ વાગ્યે મહાઆરતી, સાંજે ૭:૩૦ થી ૯ સમૂહ મહાપ્રસાદ, રાત્રે ૮:૩૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે.
આ ઉપરાંત તા. ૧૦ ના સવારે રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારે ૧૦:૪૫ વાગ્યે માતાજીની સ્થાપના, પૂજા કરવામાં આવશે. વધુ વિગત માટે મો.૯૯૦૯૦ ૨૧૬૬૩ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial