Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્ર સરકાર હસ્તક ગયેલા રસ્તા નવા બનાવવા કવાયત

કેટલાક આ પ્રકારના માર્ગો પર હાલમાં ટોલ ટેક્સ નહીં લાગે

                                                                                                                                                                                                      

બે વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકા જિલ્લાના ૧૩૦ ઉપરાંત કિ.મી.ના હાઈવેના રસ્તાઓ રાજ્ય પાસેથી કેન્દ્રમાં લઈ લીધા હતા. જેથી તેને નવા બનાવવા તથા જાળવણીનું કામ, રીપેરીંગનું કામ પણ હવે કેન્દ્ર સરકારનું પી.ડબલ્યુ.ડી. કરે છે. નવા લેવાયેલા રસ્તાઓમાં ખંભાળીયાથી પોરબંદર રોડ, ખંભાળીયાથી ભાણવડ રોડ તથા ભાણવડથી પોરબંદર વાયા પાછતર રોડ લેવામાં આવ્યો હોય, આ રોડને નવા બનાવવા માટેનો સર્વે તાજેતરમાં કેન્દ્ર સરકારના પી.ડબલ્યુ.ડી. ખાતા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. હાલ ભાણવડથી ખંભાળીયાનો નવો અને સારો રોડ છે, પરંતુ ભાણવડથી પાછતર થઈને પોરબંદર જતો રોડ ખૂબજ ખરાબ હોય, અને પોરબંદર-ખંભાળીયા રોડ પર પણ ક્યાંક ખાડા થતા રસ્તા ખરાબ હોય, આ તમામ રસ્તાઓ નવા બનાવવાની સાથે કેટલાક રોડ પહોળા પણ કરવામાં આવનાર છે. જો કે, હાલ પૂરતા આ કેન્દ્રના રોડ એવા હશે કે જેના પર ટોલ ટેક્સ નહીં લાગે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh