Advertisement
Author: નોબત સમાચાર

અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ત્રણ શખ્સે ધોકાથી હુમલો કર્યાની રાવ

ત્રિપલ સવારીમાં આવેલા શખ્સોએ ચાલુ વાહને કર્યાે હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના શંકરટેકરીમાં રહેતા એક યુવાન તથા યુવતી શુક્રવારે રાત્રે ગુરૂદ્વારા સર્કલથી અંબર ચોકડી તરફ જતા હતા ત્યારે માર્ગમાં ત્રિપલ સવારીમાં બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સે તેમના પર હુમલો કરી અગાઉની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધોકાથી હુમલો કર્યાે હતો.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રામનગરની શેરી નં.૭માં રહેતા વિક્રમ દિનેશભાઈ જેઠવા નામના મોચી યુવાન શુક્રવારે પોતાની મિત્ર સમીમ શબ્બીર જુમાણી સાથે ગુરૂદ્વારાથી અંબર ચોકડી તરફ જતા હતા ત્યારે ત્રિપલ સવારીમાં એક બાઈક ધસી આવ્યું હતું.

તે બાઈકમાં વચ્ચે બેસેલા શંકરટેકરીવાળા સાહીદ ફિરોઝ ખીરા નામના શખ્સે ચાલુ વાહને ધોકો ફટકારતા વિક્રમને હાથ તથા પગમાં ઈજા થઈ હતી. બે વર્ષ પહેલાં સમીમ જુમાણીએ પોલીસમાં સાહીદ ફિરોઝના મોટાભાઈ સામે ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી સાહીદ તથા તેની સાથે બાઈકમાં રહેલા ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો અને સમીમને પોલીસ કેસ પરત લઈ લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh