Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામાના ઘરે જવાનું કહીને નીકળ્યા પછી જામનગરનો યુવાન થયો ગુમ
જામનગર તા. ૫: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક સતવારા પરિવારનો બાવીસ વર્ષનો પુત્ર મામાના ઘરે જવાનું કહીને અઢી મહિના પહેલાં નીકળ્યા પછી લાપત્તા બન્યો છે. જ્યારે લાલપુરના મોડપરની એક યુવતી શુક્રવારે રાત્રે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી બંસી સ્કૂલ પાછળ રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ નામના પ્રૌઢના બાવીસ વર્ષના પુત્ર વિવેકભાઈ પોતાના ઘરેથી મામાના ઘરે જવાનું કહીને નીકળ્યા પછી ગઈ તા.૨૩ ફેબ્રુઆરીની સાંજથી ગુમ થઈ ગયા છે. આ યુવાનની તમામ સગા સંબંધીઓને ત્યાં તપાસ કર્યા પછી પણ તેનો પતો નહીં લાગતા આખરે પિતા નવનીતભાઈએ પોલીસને જાણ કરી છે. સીટી સી ડિવિઝન પોલીસે આ યુવાન નો ફોટો તથા વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના મોડપર ગામમાં વાડીશાળા નં.૪ પાસે રહેતા ગાંગાભાઈ પુંજાભાઈ બગડા નામના આસામીની ૨૧ વર્ષની પુત્રી કાજલ ગયા શુક્રવારની રાત્રે તેમનો પરિવાર સૂવા માટે ગયો તે પછી રાત્રિના સાડા અગિયાર વાગ્યાથી સવારના સાડા ચાર વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપતા બની ગઈ છે. આ યુવતીની શોધખોળ કર્યા પછી પણ તેનો પતો નહીં મળતા આખરે તેણીના પરિવારે પોલીસને જાણ કરી છે. લાલપુર પોલીસે આ યુવતીનો ફોટો તથા વર્ણન મેળવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial