Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા મિત્રને પણ પાઈપ ફટકારાયોઃ
જામનગર તા. ૭: જામનગરમાં કેટરીંગનો વ્યવસાય કરતા એક વિપ્ર પ્રૌઢે સાતેક મહિના પહેલાં રૂ. ૭૦ હજાર હાથઉછીના જેને આપ્યા હતા તેની પાસે ઉઘરાણી કરતા શનિવારે સાંજે આ પ્રૌઢ તથા તેના મિત્ર પર ચાર શખ્સે છરી, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં વસવાટ કરતા અને કેટરીંગનો વ્યવસાય કરતા રાકેશ નિરંજનભાઈ વસા નામના વણિક પ્રૌઢને શનિવારે સાંજે શંકરટેકરીના રામનગરની શેરી નં.૧માં સંજય પ્રભુલભાઈ વાઘેલા, નીતિન વાઘેલા, પ્રકાશ ગોવિંદભાઈ વાઘેલા ઉર્ફે પકા, પ્રફુલ વાઘેલા નામના ચાર શખ્સે માર માર્યાે હતો.
સાતેક મહિના પહેલાં રાકેશ વસાએ રૂ. ૭૦ હજાર સંજય વાઘેલાને ઉછીના આપ્યા હતા. તે રકમ માટે રાકેશ વસા ફોન કરતો હતો પરંતુ સંજય વાઘેલા ફોન ઉપાડતો ન હોવાથી શનિવારે સાંજે રાકેશ તથા ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા સ્કૂટરમાં શંકરટેકરી ગયા હતા.
જ્યાં સંજયના ઘરે પૈસા માટે ઉઘરાણી કરાતા ઘરે પૈસા માંગવા આવવું નહીં તેમ કહી સંજય વાઘેલાએ બોલાચાલી શરૂ કર્યા પછી તેમની સાથે તેમના પિતા પ્રફુલ વાઘેલા તેમજ નીતિન અને પ્રકાશે પાઈપ, છરાથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં રાકેશને માથા, હાપમાં ઈજા થઈ હતી. જ્યારે ક્રિપાલસિંહને પણ હાથમાં ઈજા કરાઈ હતી. સંજયે સ્કૂટરમાં પણ ફટકા મારી નુકસાન કર્યું હતું. સારવારમાં ખસેડાયેલા રાકેશ વસાએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial