Advertisement
Author: નોબત સમાચાર

મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં સલાહ સૂચનો માટેની અરજી

તા. ૧૦ જુલાઈ સુધીમાં કરી શકાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવાનું હોવાથી તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓમાં મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે સુધારા યાદી જાહેર જનતા પાસેથી સલાહ - સૂચનો મેળવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની ઓફીશીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જામનગર જિલ્લાની જે જનતાને મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં કોઈ સલાહ-સૂચનો હોય તો તા. ૧૦-૦૭-૨૦૨૫ સુધીમાં નજીકની મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી અને કલેકટર કચેરીમાં પોતાના નામ, સરનામા તથા ફોન નંબરની વિગતો સાથેની લેખિત અરજી રજૂ કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh