Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની રજૂઆતઃ
જામનગર તા. ૧રઃ જામનગરના વોર્ડ નં. ૪ ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને આવેદનપત્ર પાઠવી શિક્ષકોને બીએલઓની કામગીરીના કારણે શાળાઓમાં બાળકોના અભ્યાસને ગંભીર અસર થઈ રહી હોવાની રજૂઆત કરી છે.
સરકાર દ્વારા બીએલઓની કામગીરી શિક્ષકોને સોંપેલ છે. આથી શિક્ષકો શાળામાં પૂરતો સમય હાજર રહી શકતા નથી. બાળકોને ભણાવી શકતા નથી. વાલીઓની પણ અનેક ફરિયાદો છે કે શિક્ષકો શાળામાં હાજર રહેતા નથી.
આમે ય, હાલમાં ગુજરાતમાં અસંખ્ય શાળામાં શિક્ષકોની મોટાપાયે ઘટ છે. શિક્ષકોની ભરતી માટે આંદોલનો થાય છે.
આ ઉપરાંત જે શિક્ષકો શાળામાં હાજર રહે અને તેના વિસ્તારમાં એસઆઈઆરના ફોર્મ પહોંચાડ્યા, તો પણ અનેક શિક્ષકોને ફોર્મ ભરતા પણ આવડતું નથી! એટલું જ નહીં, હજુ સુધી શહેરના અનેક વિસ્તારોમાં ફોર્મ પહોંચ્યા પણ નથી.
આ સંજોગોમાં શાળાઓમાં જ્યાં શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં તાકીદે ભરતી કરવાની જરૂર છે, જેથી બાળકોનો અભ્યાસ પણ ચાલુ રહે અને બીએલઓની કામગીરી પણ ચાલુ રહે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial