Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારના દરિયામાં વરસાદી પાણીમાં તણાઈ આવેલા ૩૩ ઉંટનું કરાયું રેસ્ક્યુ

સીંગચથી તણાઈને ઉંટ વાડીનાર પહોંચ્યા હતાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા/વાડીનાર તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પાસેના સીંગચ વિસ્તારમાં વરસાદી વાતાવરણમાં દરિયા કિનારે ઘાસચારો ચરવા ગયેલા ૩૩ ઉંટ દરિયાની ભરતીમાં તણાઈ જતાં દરિયામાં ઉંડે સુધી પહોંચીને સીંગચ ગામ પાસેથી છેક વાડીનાર જેટી સુધી પહોંચી ગયા હતા.

બનાવની જાણ વાડીનાર મરીન પોલીસને થતાં ઈન્ચાર્જ પીઆઈ વી.આર. શુકલ તથા સ્ટાફના વાલાભાઈ માયાણી, માલદેભાઈ કરંગીયા, કરશનભાઈ ગોજીયા, મયુરસિંહ ઝાલા, પ્રદીપસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ રાણા વગેરે દ્વારા સ્થાનિકો તથા માલધારીઓની મદદથી કાંઠા પર દોરડાની મદદથી તમામ ૩૩ ઉંટને સલામત રીતે બહાર કાઢી પ્રાથમિક સારવાર અપાવી તેમના માલિકોના મૂળ સ્થળે પહોંચતા કરવા વ્યવસ્થા કરાઈ હતી.

સામાન્ય રીતે ઉંટ પાણીમાં ડૂબી નહીં પરંતુ જેટી પાસેના ૫૦ ફૂટથી વધુ ઉંડા પાણીના કારણે ઉંટની હાલત કફોડી બની હતી. લાલપુરના સીંગચ ગામથી વ્યાપક વરસાદના કારણે નદીમાં આવેલા ધસમસતા પાણીના કારણે આ તમામ ઉંટ તણાઈને જેટી સુધી પહોંચી ગયા હતા જ્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh