Advertisement
Author: નોબત સમાચાર

પુત્રના લગ્ન પ્રસંગે આતશબાજી કરનાર આસામી સામે કાર્યવાહી

ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર જિલ્લા સમાહર્તા દ્વારા હાલમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે લાલપુરમાં એક આસામીએ પોતાના પુત્રના યોજાયેલા લગ્નમાં આતશ બાજી કરતા દોડી ગયેલી પોલીસે તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરી છે.

હાલમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે જામનગર કલેકટર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં લાલપુર શહેરમાં શુક્રવારે રાત્રે એક સ્થળે ફટાકડા ફૂટ્યા હતા.

આ બાબતની જાણકારી મળતા લાલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડ્યો હતો. રૂપાવટી નદીના કાંઠે મંદિર પાસે રહેતા ભુપતભાઈ કાનાભાઈ પઢીયા નામના આસામીએ પોતાના પુત્રના શુક્રવારે રાત્રે યોજાયેલા લગ્નમાં ફટાકડા ફોડ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ભૂપતભાઈ પઢીયા સામે ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ધડાકા કે ફટાકડા ફૂટવાના અવાજથી લોકોમાં હાલની પરિસ્થિતિમાં ભય પ્રસરી શકે છે તે શક્યતાને ધ્યાનમાં રાખીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને તેના ભંગનો સમગ્ર જિલ્લામાં પ્રથમ ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh