Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તમામ વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા ઉઠી માંગ

ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રીની મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર મહાનગર પાલિકાની દરેક વોર્ડ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવા માંગણી ઉઠવા પામી છે.

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યુ કે પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડમાં સુધારા-વધારાની કામગીરી થાય છે. પરંતુ અત્યંત નિરસતા દાખવવામાં આવતા લાંબી લાઈનો જોવા મળે છે. ગરીબો પોતાના ધંધા છોડી આવી કામગીરી માટે જતા હોય છે. અને પરેશાની ભોગવે છે.

રાજકોટની તમામ વોર્ડ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે તે માફક જામનગરમાં પણ તમામ વોર્ડ ઓફિસમાં આધારકાર્ડ સંબંધિત કામગીરી શરૂ કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh