Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ પર ખાતર વેરવિખેર થયુંઃ
જામનગર તા. ૫ઃ જામનગરના લાલપુર બાયપાસ પાસે ગઈકાલે ડાયવર્ઝનમાં સ્લીપ થયેલી એક ટ્રક પલ્ટી મારી ગઈ હતી. તેમાંથી ઢોળાયેલુ ખાતર રોડ પર વેરવિખેર થયું હતું. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
જામનગરના લાલપુર બાયપાસ પાસે ચાલી રહેલા ઓવરબ્રિજના કામના કારણે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. જ્યાંથી ગઈકાલે ખાતર ભરેલી એક ટ્રક પસાર થતી હતી ત્યારે તેના ચાલકે કાબૂ ગૂમાવ્યો હતો.
ડાયવર્ઝનમાં પડેલા પથ્થર તથા ગારા-કિચ્ચડના કારણે ટ્રક બેકાબૂ બન્યા પછી રસ્તાના કાંઠે પલ્ટી મારી ગઈ હતી. તેમાંથી ઢોળાયેલુ ખાતર રોડ પર વેરવિખેર થઈ ગયું હતું. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. ધસી આવેલી પોલીસ ટીમે ખાતર ઉપડાવવાની કામગીરી કરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial