Advertisement
Author: નોબત સમાચાર

ભાનુશાળી વાડમાં એક મકાનમાં તલાશી દરમિયાન મળી આવ્યા બીયરના ૧૧૦ ટીન

એલસીબીએ આરોપીના સગડ દબાવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭ઃ જામનગરના હવાઈચોક સ્થિત ભાનુશાળી વાડમાં એક શખ્સના મકાનમાંથી એલસીબીએ બીયરના ૧૧૦ ટીન કબજે કર્યા છે. આ શખ્સ દરોડા પહેલાં નાસી જવામાં સફળ થયો છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડમાં એક શખ્સના મકાનમાં બીયરનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના ધર્મેન્દ્રસિંહ, અરજણભાઈ, ઘનશ્યામ ડેરવાડીયાને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે એલસીબી સ્ટાફે ભાનુશાળી વાડની શેરી નં.૧માં ભૂમિત હરજીવનભાઈ નંદા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી બીયરના ૧૧૦ ટીન મળી આવ્યા હતા. દરોડા પહેલાં ભૂમિત ગંઢા નાસી ગયો હતો. એલસીબીએ રૃા.રર હજારની કિંમતના ટીન કબજે કરી આ શખ્સ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh