Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં જ ઉકરડા ઃ દર્દીઓનું આરોગ્ય જોખમમાં

આરોગ્ય મંદિરમાં જ ખદબદતી ગંદકી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨ઃ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં રોજ ત્યાંના સફાઈ કર્મી સાફ કરે છે. પણ રોજ ભેગો થતો કચરો નિકાલ ન થતો હોય, ગંદકી તથા કચરો દર્દીઓ તથા ત્યાં આવતા તેના સગા વ્હાલાઓ માટે ખતરારૃપ બન્યો છે.

ખંભાળીયા પાલિકાને હોસ્પિટલના સુપ્રિ. તથા આર.એમ.ઓ. દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સપ્તાહમાં બે-ત્રણ દિવસ ખર્ચ સાથે કચરો ઉપાડવા જણાવવા છતાં કચરો ના ઉપડતા નિકાલ ક્યાં કરવો તે ગંભીર પ્રશ્ન થયો હોય, ભેગા થતા કચરાના ઢગલા ચિંતાજનક બની રહ્યા છે, ત્યારે હાલમાં જ તા. ૩૦-૬-૨૫ના ખંભાળીયા પાલિકાનો વિસ્તાર વધતા છેક જિલ્લા કલેકટર નિવાસ સ્થાન સુધી આવી જતા સરકારી હોસ્પિટલનો પણ સમાવેશ ખંભાળીયામાં થતાં આ ગંદકી કચરો તાકીદે નિકાલ થાય તેવી જાગૃત લોકોમાં માંગ ઉઠી છેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh