Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૧૨.૪૧ લાખ મતદારો પૈકી ૮.૮૭ લાખથી વધુને પહોંચાડાયા એસઆઈઆર ફોર્મ

બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક કરીને કરાઈ રહ્યું છે ફોર્મનું વિતરણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: એસઆઈઆર ઝુંબેશમાં બી.એલ.ઓ. દ્વારા થઈ રહેલ ડોર ટુ ડોર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જામનગર જિલ્લાના કુલ ૧૨,૪૧૦૯૭ મતદારો પૈકી અત્યાર સુધી ૮,૮૭,૦૯૯ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવાની કામગીરી બીએલઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆરમાં તા. ૪/૧૧/૨૦૨૫ થી તા.૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના સમયગાળા તરીકે ભારતના ચૂંટણી આયોગ દ્રારા નકકી કરવામાં આવેલ છે. બી.એલ.ઓ. દ્રારા ગણતરી ફોર્મ વિતરણ કરતી વખતે / ફોર્મ પરત મેળવતી વખતે જે મતદાર ઘેર હાજર નહી હોય તેવા મતદારના ઘેરની ત્રણ વખત મુલાકાત લેવા ભારતના ચૂંટણી આયોગ તરફથી સુચના આવેલ છે.

ભારતના ચૂંટણી આયોગ દ્રારા ગણતરીનો સમયગાળો તા. ૪/૧૧/૨૦૨૫ થી તા.૪/૧૨/૨૦૨૫ સુધીનો આપવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં આ કામગીરી નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે સબંધિત મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી દ્રારા બી.એલ.ઓ.ને મદદ કરવા અન્ય વિભાગના કર્મચારીઓની એસ.આઇ.આર.ની કામગીરીમાં મદદ લેવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો છે. જે પૈકીના ૮,૮૭,૦૯૯ જેટલા મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જયારે બાકી રહેલ મતદારોને પણ ગણતરી ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાલ ચાલુ છે.

ફોર્મ વિતરણની અને ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી ભારતના ચૂંટણી આયોગ દ્રારા નિર્ઘારીત સમયગાળામાં બી.એલ.ઓ. દ્રારા પૂર્ણ કરી દેવામાં આવશે. એસ.આઇ.આર. બાબતે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તેમને પણ માહિતી ૫ૂરી પાડવામાં આવી છે અને તેમના સહયોગ માટે પણ અપીલ કરવામાં આવી છે.

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર દરમિયાન કોઇ યોગ્ય મતદારનું નામ મતદારયાદીમાં નોંધવાનું રહી ન જાય અને કોઇ ગેરલાયક વ્યકિતનું નામ મતદારયાદીમાં નોંધાય ન જાય તે માટે આ કામગીરીમાં પૂરતી ચોકકસાઇ રાખવામાં આવે છે. એસ.આઇ.આર.ની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજજ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh