Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ધૂળેટીનું પર્વ રંગભેર ઉજવવા
જામનગર તા. ૩: ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવ્યા પછી બીજા દિવસે ધૂળેટીનું પર્વ મનાવાય છે, પરંતુ આ વર્ષે ધાર્મિક માન્યતા-ગ્રહણ સહિતના કારણોસર સોમવારે હોળિકા દહ્ન પછી મંગળવારે પડતર દિવસ છે, અને બુધવારે ધૂળેટીનું પર્વ મનાવાશે. આ દિવસે જ જાહેર રજાની પણ જાહેરાત પણ કરવામાં આવી છે.
જામનગરમાં પણ આવતીકાલે ધૂળેટીનું પર્વ હર્ષોઉલ્લાસથી મનાવવા નગરજનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં રંગો-પીચકારી વિગેરેની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અબીલ, ગુલાલ, કેશુડાના કલરથી લોકો આ રંગોના પર્વની ઉજવણી કરશે અને મનમોટાવ, વેરઝેર, ભૂલીને એકબીજા ઉપર કલર ઊડાડી ભાઈચારાનો સંદેશો આ ઉત્સવ દ્વારા આપવામાં આવે છે. અનેક ધાર્મિક સ્થળોએ પણ આ પર્વની ઉજવણીનું આયોજન થયું છે.
લોકો શાંતિપૂર્ણ અને સુરક્ષીત માહોલમાં આ પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઉપરાંત હોમગાર્ડઝના જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial