Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં મેઘાનો એક રાઉન્ડ ઓર...
અમદાવાદ તા. ર૯: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પછી ગુજરાતના ૪૯ ડેમમાં જળસ્તર ૯૦ ટકાથી વધી જતા હાઈએલર્ટ પર રખાયા છે, અને ર૯ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને ૬ર ટકા થઈ ગયું છે.
ગુજરાતના ર૯ જળાશયો હાલ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના સૌથી વધુ પ, ભાવનગરના ૪, સુરેન્દ્રનગરના ૩ જળાશયનો સમાવેશ થાય છે. ૬ર જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૮ જળાશયોમાં રપ ટકાથી પ૦ ટકા જળસ્તર છે. હજુ પણ ૩૬ જળાશયો એવા છે જ્યાં જળસ્તર પ થી નીચું છે. હાલ ગુજરાતના ૪૮ જળાશયમાં જળસ્તર ૯૦ ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. ર૧ જળાશયો એલર્ટ અને ર૧ જળાશયો વોર્નિંગ હેઠળ છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના ૬૦.૭ર ટકા છે. રિજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પ૭ ટકા, મધ્ય ગુજરાતમાં ૬૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૧ ટકા, કચ્છમાં પ૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૬ ટકા જેટલું જળસ્તર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial