Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીએ સુરજકરાડી સ્થિત સાસરીયે ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

પતિ તથા સાસુ સામે પિતાની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગરના ધનબાઈના ડેલા પાસે ચારણ ફળીમાં રહેતા કિંજલબેન કિશોરભાઈ પરમારના લગ્ન ગયા જાન્યુઆરી મહિનામાં ઓખામંડળના સુરજકરાડીમાં હાલમાં રહેતા ધ્રુવ ધર્મેશભાઈ ફલ સાથે કરવામાં આવ્યા પછી કિંજલબેને ગઈ તા.૧૪ના દિને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ પરિણીતા લગ્નના દોઢેક મહિના પછી પિયર રિસામણે આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાના પતિ કોઈ કામ કરતા નથી અને ઘર ખર્ચની રકમ આપતા નથી તેમજ સાસુ વર્ષાબેન ઝઘડા કરી મેણા મારતા હોવાની વાત કર્યા પછી ધ્રુવ ફલ અને તેના પિતા ધર્મેશભાઈ સમાધાન માટે આવ્યા હતા. ત્યારે સમાધાન કરી કિંજલને સાસરે મોકલવામાં આવી હતી ત્યારપછી ગઈ તા.૧૪ના દિને તેણીએ પોતાના સાસરે પંખામાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરનાર જમાઈ તથા વેવાણ વર્ષાબેન સામે કિશોરભાઈ ભગવાનજી પરમાર ઉર્ફે પરેશભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh