Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પગમાં ઈજા પછી માનસિક અસ્થિર યુવાનનું મોતઃ
જામનગર તા. ૪: કલ્યાણપુરના ખીરસરા ગામના એક યુવાને માથામાં થતાં રહેતા દુખાવાથી કંટાળી જઈ ઝેર પી જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે ખંભાળિયાના વડત્રામાં પગમાં ઈજા પામેલા માનસિક અસ્થિર યુવાનનું જામનગર દવાખાને સારવારમાં મૃત્યુ થયું છે.
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં વસવાટ કરતા ધવલભાઈ નાથાભાઈ શીર (ઉ.વ.૧૮) નામના સગર યુવાને ગઈ તા.૧૪ના દિને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.
આ યુવાનને માથામાં અવારનવાર દુખાવો થતો રહેતો હોવાથી તેનાથી કંટાળી જઈ તેણે ઝેર પી લીધાનું દિનેશભાઈ ભોજાભાઈ સગરે પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં વસવાટ કરતા એક માનસિક અસ્થિર અજાણ્યા પુરૂષને થોડા સમય પહેલાં પગમાં ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું સાજણભાઈ આલાભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial