Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળી તથા નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને
જામનગર તા. ૪: ધ્રોલ તથા જોડિયા તાલુકાઓમાં આગામી દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ/વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી ફોર્મ મામલતદાર અને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટ, જોડીયાની કચેરી, તાલુકા સેવા સદન જોડિયા અને મામલતદાર અને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટ, ધ્રોલની કચેરી, તાલુકા સેવા સદન ધ્રોલમાં તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજુ કરવાની રહેશે. બાદમાં નિયમોનુસાર તપાસનીશ અધિકારીઓના અભિપ્રાયો મેળવી પરવાનો આપવા અંગેની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેના અરજી ફોર્મ ધ્રોલ તથા જોડિયા મામલતદારની કચેરીમાંથી મળી શકશે.
તા. ૨૦/૦૯/૨૦૨૫ બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ/વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે. તે બાબતને ધ્યાને લેવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ધ્રોલની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial