Advertisement
Author: નોબત સમાચાર

કૃષિ રાહત પેકેજ થકી અન્નદાતાને મળ્યો આધાર

ટેકાના ભાવે મગફળીની ખરીદી અને

                                                                                                                                                                                                      

 ખંભાળીયા તા. ૧૨: રાજ્યમાં તાજેતરમાં કમોસમી વરસાદને કારણે કૃષિના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેના પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ખેડૂતોને નુકસાનથી પુનઃ મજબૂત કરવા માટે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડના સહાય પેકેજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂત વશરામભાઇ પાથરે આવકાર્યું છે.

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી અન્નદાતાઓ આર્થિક આધાર બનતું રૂ.૧૦ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરતા અન્નદાતાઓને ઝડપથી પગભર બેઠા થવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. કુદરતી આફત સામે ધરતીપુત્રો સાથે અડીખમ ઊભા રહી સરકારે ખેડૂત કલ્યાણનો અભિગમ જાળવી રાખ્યો છે. માત્ર એટલું જ નહીં સહાય પેકેજ સાથે સાથે ટેકાના ભાવે ૧૨૫ મણની મગફળી ખરીદી કરીને આર્થિક સધિયારો ખેડૂતોને આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh