Advertisement
Author: નોબત સમાચાર

ખેતરના કાઢીયાના મુદ્દે ઉભા થયેલા મનદુખ પછી નાના આસોટામાં હુમલો

શેઢા પાડોશી સામે નોંધાવાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ ખંભાળિયાના નાના આસોટા ગામના એક યુવાન પર ગઈકાલે શેઢા પાડોશીએ કાઢીયા બાબતના જૂના મનદુખના કારણે પાઈપ-પથ્થરથી હુમલો કરી માર માર્યાે હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામમાં રહેતા દુર્લભભાઈ મણીલાલ રામાવત નામના યુવાનને ગઈકાલે સવારે ખીમાભાઈ હેભાભાઈ ખુંટી નામના શખસે રોકી લઈ પાઈપ-પથ્થરથી હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દુર્લભભાઈ તથા ખીમાભાઈના ખેતર આજુબાજુમાં આવેલા છે તેના કાઢીયા બાબતે મનદુખ થયા પછી ખીમાભાઈ ધમકી આપો હતો અને તે પછી ગઈકાલે હુમલો કરી ગાળો ભાંડી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh