Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંદીની બે નાની છરી તથા ચાર છતર ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૧૯ : ધ્રોલના મોટા ઈટાળા ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં ગઈ તા.૯ની રાત્રે તસ્કરોએ ચોરી કરી છે. ચાંદીની બે નાની છરી તથા ચાર છતર મળી કુલ ૩૮ હજારના ચાંદીના દાગીનાની ચોરી કરી લેવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં આવેલા મેલડી માતાના મંદિર તેમજ રામમંદિર અને સુરાપુરા દાદાના મંદિરમાં ગઈ તા.૯ની રાત્રે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન કોઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં મેલડી માતાના મંદિરમાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યા પછી અંદર ચઢાવવામાં આવેલા ચાંદીના રૂ।.૩,૦૦૦ની કિંમતના બે છતર તેમજ રૂપિયા ૩૨ હજારની કિંમતની ચાંદીની બે નાની છરી ચોરી કરી લીધી હતી.
તે ઉપરાંત બાજુમાં જ આવેલા રામમંદિરના દરવાજાનું તાળુ તોડી તેમાં ઘૂસ્યા પછી આ તસ્કરે અંદરથી રૂપિયા ૧૫૦૦ની કિંમતનું ચાંદીનું છતર ઉઠાવ્યું હતું અને નજીકમાં જ આવેલા સુરાપુરા દાદાના મંદિરમાં પણ આ શખ્સે હાથફેરો કરી ત્યાંથી રૂપિયા ૧૫૦૦નું છતર ચોરી કરી લીધું હતું. મોટા ઈંટાળા ગામના વિજયભાઈ બાબુભાઈ ભંડેરીએ કુલ રૂપિયા ૩૮૦૦૦ની કિંમતના ચાંદીના છતર તથા ચાંદીની છરી ચોરી કરવા અંગે અજાણ્યા તસ્કરો સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial