Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા
જામનગર તા. ૧૭ઃ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા "કોંગ્રેસ આપના દ્વારે" કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જે-તે વોર્ડના લોકો સાથે સંવાદ કરી ત્યાં ના પ્રશ્નો - રજૂઆતો સાંભળવામાં આવે છે. આ કાર્યક્રમ સંદર્ભમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ વોર્ડ નં. ર માં ધરારનગર વિસ્તારમાં લોક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ આ વોર્ડની સમસ્યાઓનુંં જાત નિરીક્ષણ કર્યુ હતું.
ધરારનગરમા એક મસમોટી ખૂલ્લી કેનાલ ગંદકી, કચરા, પ્લાસ્ટિકથી ખદબદે છે. આ ખૂલ્લી કેનાલ ફરતે ફેન્સીંગ પણ નથી... આ કેનાલની સફાઈ મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે, તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ગંદકીથી ખદબદતી અને જોખમી વિશાળ ખૂલ્લી કેનાલની તસ્વીરો સાથે મનપામાં આ કેનાલની સફાઈ કરવા, ફરતે ફેન્સીંગ કરવા તેમજ નિયમિતરૃપે સફાઈ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. આ ખૂલ્લી કેનાલના કારણે કેનાલની આસપાસના વિસ્તારોમાં જીવાત, માખી-મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફેલાવાની સતત દહેશત રહે છે. આ કાર્યક્રમમાં દિગુભા જાડેજા સાથે કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, યુવા કોંગ્રેસના હોદ્દેદારો, ડો. તૌસીફખાન પઠાણ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial