Advertisement
Author: નોબત સમાચાર

હાપાના જલારામ મંદિરે ગૌમાતાનો અન્નકુટ તથા ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકુટ ઉત્સવ

મકરસંક્રાંતિ પર્વની ઉજવણી નિમિત્તે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે પૂજ્ય જલારામબાપાના પ્રસાદરૂપનો વિશ્વ વિક્રમી રોટલો બનાવનાર સંસ્થા શ્રી જલારામબાપા સેવા ટ્રસ્ટ-હાપા, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા, શ્રી જલારામ મંદિર હાપા દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગાયોની સેવાના ભાગરૂપે ૧૪મી જાન્યુઆરીએ ગૌચારા અન્નકુટ અને આગામી તા. ૧૭ જાન્યુઆરીના રોટલા અન્નકુટ ઉત્સવનું આયોજન કરાયુ છે. સનાતન ધર્મના દાન અને અન્નના મહત્ત્વને ધ્યાનમાં રાખી અને ૩૩ કોટિ દેવતાના વાસ ધરાવનાર ગૌમાતાના લાભાર્થે મકરસંક્રાંતિના પવિત્ર દિને સૌ પ્રથમ શરૂઆત બાદ છઠ્ઠા વર્ષમાં ગૌચારા અન્નકુટ તેમજ માતૃશ્રી વીરબાઈમાં તેમજ પૂજય જલારામબાપાએ સદાવ્રત શરૂ કર્યાના મહાન દિવસ વિક્રમ સંવત ૧૮૭૬ મહા સુદ બીજના દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭મીએ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા ૧૪મી વખત ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકુટ રાખેલ છે. બંને અન્નકુટમાં જલારામ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા તથા દર્શનાર્થે પધારવા ભાવપૂર્વકનું આમંત્રણ છે.

આ ઉપરાંત ૧૭મી તારીખે સાંજે ૭ વાગ્યાથી જલારામ મંદિરે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ પણ યોજાશે જેમાં શ્રીનાથજી કલાવૃંદ તથા ગાયત્રી ગરબા મંડળ (જામ-ખંભાળીયા) પોતાની કલાકૃતિ રજૂ કરશે જેનો સર્વે જલારામ ભક્તોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh