Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ઃ લાલપુરના જોગવડમાં અગાઉ વસવાટ કરતા એક પરપ્રાંતીય શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયા પછી આરોપી નાસી ગયો હતો. તેને એસઓજીએ ચેલા પાસેથી પકડી લીધો છે. લાલપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં લખવીન્દરસિંઘ ચરણસિંઘ ઉર્ફે લાખા નામના શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. મૂળ પંજાબના અમૃતસરના વતની અને હાલમાં જોગવડમાં વસવાટ કરતો આ શખ્સ નાસી ગયો હતો. ફરાર જાહેર થયેલા આ આરોપીને જામનગર એસઓજીએ પૂર્વ બાતમીના આધારે લાલપુર ધોરીમાર્ગ પર ચેલા પાસેથી દબોચી લીધો છે. તેનો કબજો મેઘપર પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial