Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાંથી નાઈજીરીયન શખ્સ સહિત બેની અટકાયતઃ ઘનિષ્ઠ પૂછપરછ આરંભાઈ

વિઝાની મુદ્દત પૂર્ણ પછી પણ ભારતમાં રોકાણનું કારણ શું?

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયામાંથી એસઓજીએ એક નાઈજીરીયન શખ્સ તથા અન્ય એક સ્થાનિક શખ્સને એસઓજીએ અટકાયતમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. નાઈજીરીયન શખ્સ વિઝાની મુદ્દત પૂર્ણ થઈ ગયા પછી કોઈ કારણથી ભારતમાં રોકાણ કરીને હોવાની વિગતો પ્રાથમિક તબક્કે બહાર આવવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નાઈજીરીયાથી આવેલો એક શખસ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એસઓજીને મળતા ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી એસઓજી ટીમ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં તપાસ માટે ધસી ગઈ હતી.

ત્યાંથી ઉપરોકત નાઈજીરીયા શખ્સ મળી આવ્યો હતો. એસઓજીએ તેની પૂછપરછ કરતા આ શખસ વીઝાની મુદ્દત પૂર્ણ થઈ ગયા પછી પણ ભારતમાં અને ખાસ કરીને ખંભાળિયાના ધરમપુરમાં હોવાનું બહાર આવ્યું છે. એસઓજીએ આ શખ્સ તથા અન્ય એક શખ્સને અટકાયતમાં લીધા છે. બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વિઝા પૂૃણ થયા પછી પણ આ શખ્સના ભારતમાં રોકાણ અંગે તલસ્પર્શી વિગતો મેળવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh