Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં થશે જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન

આગામી તા. ૩૧મી ઓક્ટોબરે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ૨૦૨૬માં અખંડ દીપકને, પૂ.ગુરૂદેવ શ્રી રામ શર્મા આચાર્યની તપસાધનાને અને વંદનીય માતાજી ભગવતીદેવી શર્માના જન્મને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતમાં એક વર્ષથી જ્યોતિ કળશ રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે.

જેના અનુસંધાને આ જ્યોતિ કળશ રથયાત્રા તા. ૩૧-૧૦-૨૫ થી જામનગર આવી રહી છે. જેમાં તા. ૧-૧૧-૨૫ થી તા. ૧૦-૧૧-૨૫ સુધી જામનગર શહેરના વિવિધ વિસ્તારમાં, તા. ૧૨-૧૧-૨૫થી તા. ૨૦-૧૧-૨૫ સુધી જામનગર-ધ્રોલ-જોડીયા તાલુકામાં, તા. ૨૧-૧૧-૨૫થી તા. ૨૫-૧૧-૨૫ સુધી કાલાવડ તાલુકામાં, તા. ૨૬-૧૧-૨૫ થી તા. ૨૯-૧૧-૨૫ સુધી લાલપુર તાલુકામાં અને તા. ૩૦-૧૧-૨૫થી તા. ૩-૧૨-૨૫ સુધી જામજોધપુર તાલુકામાં યુગ નિર્માણ યોજનાનો સંદેશ પાઠવશે. શ્રદ્ધાવાન  ભક્તજનોને આ રથના દર્શનનો લ્હાવો લેવા તેમજ સ્વાગત-પૂજન-આરતીનો લાભ લેવા ગાયત્રી પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બહેનો પોતાના ઘરેથી શણગારેલ એક દીપકવાળી આરતીની થાળી-બાકસ લઈ આવી સમૂહ આરતીનો લાભ લઈ શકશે. દરરોજ સાંજે છેલ્લો કાર્યક્રમ દીપયજ્ઞ સાથે સંપન્ન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh