Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની સરકારી હોસ્પિટલને રાજ્ય કક્ષાનું રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર

કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી જોગવાઈ હેઠળ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: ભારત દેશમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી મેડિકલ કોલેજો તથા સરકારી હોસ્પિટલો દ્વારા અપાતી દર્દીઓને સગવડોમાં એન.ક્યુ.એસ. રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્રોની જોગવાઈ કરાઈ છે. જેમાં દ્વારકા જિલ્લાની સૌથી મોટી તથા ખંભાળીયાની સરકારી હોસ્પિટલને રાજ્યકક્ષાનું આ પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં ગૌરવ  પ્રાપ્ત થયું છે.

આર.એમ.ઓ. ડો. કેતનભારથી, સીડીએમઓ. ડો. કપૂર, ડો. સી.બી. ચોબીશાના માર્ગદર્શનમાં થતી કામગીરી સુંદર રહેતા રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર એન.ક્યુ.એલ. આપવામાં આવ્યું છે. લક્ષ્ય તથા મુસ્કાનના પ્રમાણપત્ર બાળ અને સ્ત્રી દર્દીઓના સંદર્ભમાં થયેલ કામગીરી બદલ અપાયા છે.

આ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્રનું અવલોકન તથા માર્ગદર્શન ડો. જે.એચ. વ્યાસ તથા ડો. દિપ્તી જોશી દ્વારા અપાયું હતું. દ્વારકા જિલ્લામાં રાજ્યકક્ષાનું રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવનારા ખંભાળીયા હોસ્પિટલ પ્રથમ છે તથા અહીંની લેબોેરેટરીને પણ એન.બી.એલ.નું ઉત્કૃષ્ઠ પ્રમાણપત્ર અગાઉ મળેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh