Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિકલ સેલની બીમારી પણ અગાઉ લાગુ પડી'તીઃ
જામનગર તા. ૨૦: જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી સિઝનલ બીમારીનું પ્રમાણ વધવા પામ્યું છે. તેમાં પણ ખાસ કરીને ડેંગ્યુના કેસમાં વધુ દર્દીઓની સંખ્યા નોંધાઈ રહી છે. દરમિયાન સરકારી હોસ્પિટલના એક ડોક્ટરનું પણ ડેંગ્યુની બીમારી લાગુ થયા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જો કે, તેમને અન્ય પણ જૂની બીમારી હોવાનંુ જાણવા મળે છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સેવા આપતા ડો. વિશાલ અસારી (ઉ.વ.૩૦)ને તાજેતરમાં ડેંગ્યુની બીમારી લાગુ પડી હતી જેની તેઓ સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન સોમવારે તેમનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ડો. વિશાલ મૂળ ઈડર પંથકના વતની છે. જે વિસ્તારમાં સીકલ સેલ બીમારીનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે. આ બીમારી લોહી સંબંધિત છે અને હિમોગ્લોબીનના પ્રમાણ સાથે જોડાયેલ છે. ડો. વિશાલ પણ આ સમસ્યાનો અગાઉ શિકાર બન્યા હતા અને તેમણે સારવાર પણ લીધી હતી. આ પછી તાજેતરમાં તેમને ડેંગ્યુ લાગુ પડ્યો હતો જેની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial