Advertisement
Author: નોબત સમાચાર

પતિએ માવતરે જવાની ના પાડતા પત્નીએ ઝેરી દવા પીધીઃ સારવારમાં નિપજ્યું મૃત્યુ

એક મહિના પહેલાં જ થયા હતા લગ્નઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ધ્રોલના ખાખરા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદના એક શ્રમિકના એકાદ મહિના પહેલાં જ લગ્ન થયા પછી બુધવારે નવપરિણીતાએ માવતરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા અને પતિએ ના પાડતા આ પરિણીતાએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે.

ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં સાવજુભા લખુભા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ચોરબારીયા ગામના વિનોદભાઈ માનસીંગ વહુનીયા (ઉ.વ.રપ) નામના શ્રમિકના લગ્ન એકાદ મહિના પહેલાં સોનલબેન (ઉ.વ.રપ) સાથે થયા હતા.

ત્યારપછી બુધવારે વિનોદભાઈ તેમના ભાઈ-ભાભી સહિતના વ્યક્તિઓ ખેતરમાં થ્રેસરમાંથી મગફળી કાઢવા ગયા ત્યારે સોનલબેન રહેણાંકમાં એકલા હતા. આ વેળાએ પાણી ભરવા પરત આવેલા વિનોદભાઈને પત્ની સોનલબેને માવતરે આંટો મારવા જવાની વાત કરી હતી પરંતુ વિનોદભાઈએ અત્યારે નથી જવું તેમ કહેતા માઠું લાગી આવતા સોનલબેને ત્યાં પડેલી કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ મહિલાને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સોનલબેનનું મૃત્યુ નિપજ્યું છે. પતિ વિનોદભાઈએ પોલીસને જાણ કરી છે. ધ્રોલના જમાદાર ડી.પી. વઘોરાએ પતિનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh