Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિ ઉપયોગી "આયુષ્માન કાર્ડ" કચરામાં...
સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર માટે અતિ ઉપયોગી એવા અસંખ્ય આયુષ્માન કાર્ડ કચરાના ઢગલામાં જોવા મળતા ભારે ચર્ચા જાગી છે. જામનગરમાં રણજીતસાગર રોડ પર સાંઈબાબા મંદિર પાસે બાયો વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કચરાના ઢગલામાં જ અનેક આયુષ્માન કાર્ડ પણ હતાં. સરકારી વિભાગોમાં ભારે મુશ્કેલી પછી આ કાર્ડ ઈસ્યુ થતા હોય છે અને ગરીબ લોકોને બીમારીમાં મફત સારવાર માટે અતિ ઉપયોગી થાય તેવા કાર્ડનો ઢગલો કોણ અને શા માટે ફેંકી ગયો તે અંગે તપાસ કરવાની જરૂર છે. જે વ્યક્તિઓના કાર્ડ અહીં ફેંકી દેવાયા છે. તેમને પણ આ સુવિધાનો લાભ લેવામાંથી વંચિત રહેશે, તો તેના માટે જવાબદાર કોણ...?? શું આ કાર્ડનો જથ્થો ભૂતિયાકાર્ડનો હતો...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial