Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ૨ પશુપાલકો આઈ-ખેડૂત પોર્ટલ પર ૧૫ જુન સુધીમાં કરી શકશે અરજી

વિવિધ યોજનાઓનો લાભ લેવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જિલ્લાના પશુપાલકો પશુપાલનની વિવિધ યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા આગામી તા. ૧૫-૬-૨૦૨૫ સુધી કાર્યરત રહેશે.

જામનગર જિલ્લાના તમામ પશુપાલક ભાઈઓ તથા બહેનોને જણાવવામાં આવે છે કે, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે.

ઓનલાઈન અરજી પ્રક્રિયા તા.૧૫/૦૬/૨૦૨૫ દરમિયાન કાર્યરત રહેશે. જે પશુપાલકો આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓને લાગુ પડતી યોજનામાં ઓનલાઈન અરજી દાખલ કરવા અનુરોધ કરવામાં આવે છે.

અરજી સફળતાપૂર્વક દાખલ થયા બાદ, તેની પ્રિન્ટ મેળવીને યોજનાને અનુરૃપ જરૃરી દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. અથવા અરજીમાં દર્શાવેલ સંબંધિત નોડલ એજન્સી કે કચેરી ખાતે અરજીની હાર્ડકોપી રજૂ કરવાની રહેશે.

તમામ પશુપાલકોને આ તકનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પશુપાલન અધિકારી જામનગર દ્વારા અનુરોધ કરાયો છે. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે આપના નજીકના પશુ દવાખાનામાં સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh