Advertisement
Author: નોબત સમાચાર

કૂવા પાસે ખોબામાં પાણી પીતી વખતે ખાબકી ગયેલા શ્રમિકનું ડૂબી જતાં મૃત્યુ

કાલાવડના નવાગામમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કાલાવડના નવાગામમાં વસવાટ કરતા એક પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. આ પ્રૌઢ બાથરૂમમાં ગયા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન બની ગયા પછી મોતની ગોદમાં સરી ગયા છે. જ્યારે કલ્યાણપુરના નગડીયામાં કૂવામાં પડી ગયેલા પરપ્રાંતિય શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના નવાગામમાં વસવાટ કરતા મહેશભાઈ કેશવજીભાઈ અકબરી નામના પંચાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમમાં ગયા હતા. જ્યાં તેઓને છાતીમાં દુખાવો ઉપડતા મહેશભાઈ બેભાન બની ગયા હતા.

આ પ્રૌઢને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે તેઓને ચકાસી મૃત્યુ પામેલા જાહેર કરતા તેમના પુત્ર રવિભાઈ અકબરીએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં હર્ષદીપસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની કૈલાસભાઈ કાશીયાભાઈ જમરા (ઉ.૪૦) નામના શ્રમિક સોમવારે સાંજે કૂવા પાસે ખોબાથી પાણી પીતા હતા ત્યારે કોઈ રીતે કૂવામાં લપસી પડ્યા હતા. તેનો અવાજ થતાં અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. કૈલાસભાઈને કૂવામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા તે પહેલાં વધુ પડતું પાણી પી જવાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની રેન્દાબેન જમરાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh