Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ તથા
જામનગર તા. ૬: જામનગરના ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સરકેર કાઉન્સિલ અને રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્રમણી, નેત્રયજ્ઞ અને મોતિયાના દર્દીઓ માટે ઓપરેશનની સુવિધા સાથેના કેમ્પનું આયોજન તા. ૮-૨-૨૬ના સવારે ૯ થી ૧૨ દરમ્યાન જિલ્લા જેલ સામે, પવનચક્કી, જામનગરમાં કરવામાં આવ્યું છે.ં આ કેમ્પમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતમંદ મોતિયાના દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન (વિનામૂલ્યે) કરી દર્દીઓને કેમ્પના સ્થળે મૂકવામાં આવશે. દર્દીઓને રહેવા-જમવા સાથે શીરો, ચા-પાણી, નાસ્તો, દવા-ટીપાં, તથા ધાબળા નિઃશુલ્ક અપાશે. આ નેેત્રયજ્ઞનો જરૂરિયાત મંદોએ લાભ લેવા ઓશવાળ વેલફેર ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા તથા કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial