Advertisement
Author: નોબત સમાચાર

ઝેરી દવાનો છંટકાવ કરતી વખતે અસર થઈ જતાં શ્રમિકનંુ મૃત્યુઃ ખેડૂતને સર્પદંશ

મહિકીમાં યુવાનને હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામજોધપુરના મહિકી ગામમાં એક યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે મોટા ભાડુકીયામાં મગફળીના ઢગલામાં છૂપાવેલો સર્પ ખેડૂતને દંશી ગયો છે. જ્યારે ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થવાથી બેશુદ્ધ બની ગયેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના મહિકી ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા દલસુખભાઈ ઓઘડભાઈ ડાભી (ઉ.વ.૩૯) નામના યુવાન ગઈકાલે સાંજે આલેશધામ સીમમાં હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું નેહલભાઈ ડાભી એ પોલીસમાં જાહેર કર્યંુ છે.

કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં રહેતા ગંગદાસભાઈ ધનાભાઈ ઠુમ્મર (ઉ.વ.૭૯) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાના ખેતરે ભેંસને નીરવા માટે મગફળીના પાલામાંથી મગફળી ઉપાડવા ગયા ત્યારે હાથના અંગુઠામાં કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. બેભાન બની ગયેલા આ વૃદ્ધને સારવાર માટે કાલાવડ દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. રમેશભાઈ ઠુમ્મરે પોલીસને જાણ કરી છે.

ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં આવેલા રામજીભાઈ ભીમાણી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની મોહનભાઈ આપસિંગ ડોડવા (ઉ.વ.૩૭) નામના શ્રમિક ગઈ તા.ર૩ની બપોરે ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે દવાની ઝેરી અસર થતાં બેશુદ્ધ બની ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જમુબાઈ મોહનભાઈ ડોડવાએ પોલીસને વાકેફ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh