Advertisement
Author: નોબત સમાચાર

આજે મળેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષોએ કહ્યું 'સંકટની ઘડીમાં' અમે સરકારની પડખે અડીખમ

ઓપરેશન સિંદૂરની સફળતા પછી મળેલી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૮: આજે રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને મળેલી સર્વપક્ષિય બેઠકમાં ઓપરેશન સિંદૂર કેવી રીતે થયું તે સરકારે તમામ પક્ષોને જણાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે સંકટમાં અમે દેશની સાથે, હાલમાં સરકારની કોઈ ટીકા કરવી નથી.

ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર, વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ હાજરી આપી હતી. આ બેઠક રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક પહેલા કોંગ્રેસે વડાપ્રધાન મોદીની હાજરીની માગણી કરી હતી. પરંતુ તેઓ પહોંચ્યા નહીં. આ અંગ્રેસ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ સંકટની ઘડીમાં દેશ અને સરકારની સાથે છીએ. સરકારની કોઈ ટીકા નથી કરવી.

ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ હતું. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી ઠેકાણે એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ૯૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર બાદ આગામી રણનીતિ તેમજ સેનાના શોર્ય અને પરાક્રમને બિરદાવવા માટે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ છે. આ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજ્જિુએ માહિતી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh