Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ડેરી ગામમાં ખેતર નજીક નહેરમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ

શ્રમિક પરિવાર પર થયો વજ્રઘાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: કાલાવડના ડેરી ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની શ્રમિક પરિવારનો સવા વર્ષનો પુત્ર રમતા રમતા પાણી ભરેલી નહેરમાં ડૂબ્યો હતો. બેભાન બની ગયેલા આ બાળકને સારવારમાં લઈ જવાયા પછી તે બાળકનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામમાં આવેલા નરેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના નાના સરલા ગામના મહેશભાઈ સતરાભાઈ ડામોર નામના શ્રમિકની સાથે તેમના પત્ની તથા સંતાન પણ આવ્યા હતા.

તે દરમિયાન ગઈકાલે સવારે મહેશભાઈ જ્યારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમનો પંદર મહિનાનો પુત્ર કલુ નજીકમાં રમતો હતો. આ બાળક રમતા રમતા કોઈ રીતે નજીકમાં આવેલી પાણી ભરેલી નહેરમાં પડી જતા ડૂબવા માંડ્યો હતો. તે દૃશ્ય નીહાળી કલુને બહાર કાઢી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બેભાન બની ગયેલા આ બાળકને ચકાસ્યા પછી તબીબે મૃત્યુ પામેલો જાહેર કરતા તેના માતા-પિતા સ્તબ્ધ બની ગયા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે મહેશભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh